home share

કીર્તન મુક્તાવલી

(૧) શીદને રહીયે રે કંગાલ રે સંતો

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

આપણું નામ આત્મા અને ગામ અક્ષરધામ

તા. ૨૨/૮/૧૯૮૬ની અમદાવાદમાં રાત્રિસભામાં ગવાયેલા કીર્તન ‘શીદને રહીએ કંગાલ...’નું ચોટદાર નિરૂપણ કરતાં પ્રમુખસ્વામી મહારાજે કહ્યું:

“ઝાડ નીચે બેઠા પછી ‘છાયો મળશે કે નહીં?’ એવા વિચાર કરે એ કેવો કહેવાય? એમ મહારાજ મળ્યા પછી ક્ષુલ્લક વિચારો ન કરવા. ‘ખામી ન રહી એક વાલ...’ વાલને સમજો છો? છ ચોખાનો ભાર એટલે એક રતિ. ત્રણ રતિએ એક વાલ. સોળ વાલે એક ગદિયાણો. બે ગદિયાણે એક તોલો. આપણે વાલનીયે ખામી ન રહી. આપણે સંતોનાં વચને નાદસૃષ્ટિમાં આવ્યા, એટલે નવો જન્મ થઈ ગયો.

“આપણું નામ આત્મા અને ગામ અક્ષરધામ. બ્રહ્મ હમારી જાત. જે છે એ અહીં છે. જ્યાં ગુણાતીત બિરાજે છે ત્યાં બધું જ છે. માટે વિષયનાં માથાં કાપીને સુખિયા થઈ જવું. આપણે જે પરંપરાના છીએ એમની આ અનુભવની વાતો છે. માટે બુદ્ધિમાં બેસે કે ન બેસે તોય સાચી છે. ઊલટી થયા પછી ધૂળ જ વાળવાની હોય. આપણે કૂતરાની નાતમાં ભળવું નથી. ગમે ત્યારે આ ભગવાનનું સુખ મળશે. આજે નહીં તો કાલે. છેલ્લે શ્વાસે પણ મળશે એ નક્કી છે.”

સ્વામીશ્રીએ આજે સૌને અનેરી આધ્યાત્મિક અમીરી બક્ષી દીધી.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૫૧૬]

(1) Shīdne rahīe re kangāl re santo

Sadguru Nishkulanand Swami

Our Name is ‘Atma’ and Our Village is ‘Akshardham’

On August 22, 1986, during the nightly assembly, Pramukh Swami Maharaj explained the kirtan ‘Shīdne rahīe re kangāl re’:

“What would one think of someone who sits under a tree and still worries, ‘Will I find a shade or not?’ Similarly, after meeting Maharaj, we should not entertain trifling thoughts. ‘Khāmī na rahī ek vāl...’ Do you understand what ‘vāl’ is? The weight of one grain of rice is one ‘rati’. Three ‘ratis’ make one ‘vāl’. Sixteen ‘vāl’ equal one ‘gadiyāno’ and two ‘gadiyāno’ equals one ‘tolo’. We do not have any deficiency (in our attainment) equal to one ‘vāl’. By remaining in the commands of the Sant, we have attained a new birth.

“Our name is atma and our village is Akshardham. We are brahma. Everything we need is here where the Gunatit Satpurush resides. Therefore, we should abandon the pleasures of worldly objects and become happy. These talks are talks of experience from our guru parampara. Whether it makes sense to our intellect or not, it is true. After one vomits, only task is to cover it up with dirt. We should not become like dogs (which would lick the vomit). We will attain Bhagwan’s bliss at any time. If not today, then tomorrow. Certainly at our last breath, we will attain happiness.”

Swamishri gifted everyone with spiritual riches today.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5/516]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase